પશ્ચિમ રેલ્વે દ્વારા પ્રથમ ઓક્સિજન એક્સપ્રેસ ચલાવાઈ
Live TV
-
ગઈકાલે સાંજે ગુજરાતના હાપાથી મહારાષ્ટ્રના કલામ્બોલી માટે ત્રણ ઓક્સિજન ટેંકરોને રો-રો સર્વિસ દ્વારા મોકલવામાં આવ્યા જેમાં આશરે 44 ટન LMO વહન કરવામાં આવ્યું
કોવિડ મહામારીમાં કેટલીક તબીબી પરિસ્થિતિની સારવારમાં ઓક્સિજનની ઉપલબ્ધતા એ એક મુખ્ય તત્વ છે. ભારતીય રેલ્વે મિશન મોડ પર આગામી 24 કલાકમાં 140 MT થી વધુ લિક્વિડ ઓક્સિજન પહોંચાડશે. અત્યાર સુધીમાં ઓક્સિજન એક્સપ્રેસ મુંબઈ અને વિશાખાપટ્ટનમ વાયા નાગપુર અને નાસિક તથા લખનઉ વચ્ચે દોડાવવામાં આવી છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં લગભગ 150 ટન જેટલો લિક્વિડ ઓક્સિજન ધરાવતા કુલ 10 કન્ટેનર પરિવહન કરવામાં આવ્યાં છે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા અનુસાર ગઈકાલે સાંજે 6 વાગ્યે ગુજરાતના હાપાથી રવાના થયેલા રો-રો સર્વિસ BWT વેગન લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) થી ભરેલી ત્રણ ટેન્કર લઈને આજે મહારાષ્ટ્રના કલામ્બોલી પહોંચશે. આ ઓક્સિજન ટેન્કર મેસર્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જામનગર દ્વારા સપ્લાય કરવામાં આવ્યા હતા. લગભગ 44 ટન લીકવિડ મેડિકલ ઓક્સિજન વહન કરવામાં આવેલ આ ઓક્સિજન એક્સપ્રેસ 860 કિ.મી.નું અંતર પસાર કરીને તેના લક્ષ્ય સુધી પહોંચશે.
ઓક્સિજન એક્સપ્રેસની સરળ ગતિવિધિ માટે ટૂંકા સમયમાં હાપા ગુડ્સ શેડમાં જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. તે વાયા વિરમગામ, અમદાવાદ, વડોદરા, સુરત અને વસઈ રોડ થઈને રેલ સ્તરથી ટેન્કરોની ઉંચાઈ, સમય-સમય પર દબાણ નું નિરીક્ષણ જેવા તમામ સલામતી પરિમાણોને ધ્યાનમાં રાખીને ચાલી રહી છે. પરિસ્થિતિની ઉપલબ્ધતા અને આવશ્યકતાને જોતા ઓક્સિજન એક્સપ્રેસની ઝડપી ગતિ માટે ક્લિયર માર્ગ પ્રદાન કરવામાં આવ્યો છે. ઓક્સિજન એક્સપ્રેસ દ્વારા રેલ્વે વિભાગ સુનિશ્ચિત કરી રહ્યું છે કે દેશભરના કોવિડ -19ના દર્દીઓ માટે તબીબી ઓક્સિજન ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી જરૂરીયાતમંદોને રાહત મળી શકે.
લિક્વિડ ઓક્સિજનને ક્રાયોજેનિક કાર્ગો તરીકે પરિવહન કરવામાં તે મહત્તમ ગતિ, મહત્તમ પ્રવેગ અને અધોગતિ તથા પ્રવાહી ઓક્સિજન ટેન્કરની ઉપલબ્ધતા અને લોડિંગ રેમ્પ્સ વગેરે જેવી મર્યાદાઓ નક્કી કરવામાં આવેલી છે. માર્ગમાં વિવિધ રસ્તા, નીચલા પુલો અને પદયાત્રીઓના પુલોને કારણે ઉપલબ્ધ મહત્તમ મંજૂરીને ધ્યાનમાં રાખીને ટ્રેનના રૂટ તૈયાર કરવામાં આવ્યા છે. ગયા વર્ષે લોકડાઉન દરમિયાન જરૂરી ચીજવસ્તુઓ, તબીબી સાધનો વગેરેની સપ્લાય માટે વિશેષ પાર્સલ ટ્રેનોનું સંચાલન હોય કે કિસાન રેલ ચલાવીને ખેડૂતોને મદદ કરવાનું હોય અને હવે ઓક્સિજન એક્સપ્રેસનું સંચાલન કરીને ભારતીય રેલ્વે તમામ પડકારો નો સામનો અને ભારતના લોકોને તમામ સંભવિત મદદ કરી રહ્યું છે.
