પાકિસ્તાને રોકી સમજૌતા એક્સપ્રેસ
Live TV
-
પાકિસ્તાને દ્વીપક્ષીય વેપાર ખતમ કરવાના નિર્ણય બાદ ટ્રેન સેવાને રોકી દીધી છે... પાકિસ્તાને યાત્રાની વચ્ચો વચ્ચ સમજૌતા એક્સપ્રેસને રોકી દીધી છે...
પાકિસ્તાને યાત્રાની વચ્ચો વચ્ચ સમજૌતા એક્સપ્રેસને રોકી દીધી છે. જમ્મુ કાશ્મીરમાં 370ની કલમ નાબૂત થયા બાદ પાકિસ્તાને દ્વીપક્ષીય વેપાર ખતમ કરવાના નિર્ણય બાદ ટ્રેન સેવાને રોકી દીધી છે. પાકિસ્તાને ટ્રેન રોકી દેતા અટારીના સ્ટેશન માસ્ટરે સમજોતા એક્સપ્રેસ માટે ટ્રેનનું એન્જિન પાકિસ્તાન માટે રવાના કરી દીધુ છે.. ભારતીય રેલવે ડ્રાઇવર અને ગાર્ડ એન્જિન સાથે પાકિસ્તાન માટે રવાના થઇ ગયા છે.. અને ટ્રેન મુસાફરોને લઇને પરત ફરશે.. મહત્વનું છે કે શિમલા સમજૂતી પછી 1976થી સમજૌતા એક્સપ્રેસ ભારત-પાકિસ્તાન વચ્ચે શરૂ કરાઇ હતી.. શરૂઆતમાં અમૃતસરથી લાહોરની વચ્ચે ટ્રેન ચાલતી હતી. ત્યાર પછી થોડા વર્ષો સુધી અટારીથી લાહોર સુધી ટ્રેન ચાલતી.. અને હાલ જૂની દિલ્હીથી લાહોર સુધીની ટ્રેન છે.. બુધવારે અને રવિવારે આ ટ્રેન લાહોર જાય છે..
