સંસદમાં SCમાં ન્યાયધિશોની સંખ્યા વધારવાના મહત્વપૂર્ણ વિધેયકને મંજૂરી
Live TV
-
સંસદમાં સુપ્રીમ કોર્ટમાં ન્યાયધિશોની સંખ્યા 30થી વધારીને 33 કરવાના પ્રાવધાનવાળા એક મહત્વપૂર્ણ વિધયેકને બુધવારે મંજૂરી આપવામાં આવી હતી. રાજ્યસભાએ સત્રના અંતિમ દિવસે સુપ્રીમ કોર્ટ ન્યાયધિશ સંખ્યા સંશોધન વિધેયક - 2019ને મંજૂરી આપીને લોકસભામાં આપી દેવામાં આવ્યું હતું. લોકસભા આને પહેલા જ મંજૂરી આપી ચૂંક્યું છે. રાજ્યસભામાં સભાપતિ એમ.વેંકૈયા નાયડુએ આ વિધેયક ઉપર ચર્ચાનો પ્રસ્તાવ રાખતા સદનનું ધ્યાન એ તરફ દોર્યું હતું કે, આ વિધેયક ધન વિધેયક છે. જેથી સદન ચર્ચા નહીં કરે તો પણ પારિત થઈ જશે.
