પૂણેમાં દિવાલ ધરાશાયી થઈ, 15ના મોત
Live TV
-
બચાવ કાર્ય પૂરજોશમાં ચાલુ
મહારાષ્ટ્રના પૂણેમાં ઈમારતની દિવાલ ધરાશાયી થવાથી મોટી દુર્ઘટના બની હતી..જેમાં ગતરાત્રે કોંઢવા વિસ્તારમાં દીવાલ ધરાશાયી થવાને કારણે કુલ 15 લોકોના મોત થયા હતા જ્યારે અનેક લોકો ઘવાયા હતા..ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યુ છે..ભારે વરસાદને કારણે દિવાલ ધસી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે.નજીકમાં જ રહેણાંક વિસ્તારોમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યુ હતુ..જ્યાં પાસે જ મજૂરોના રહેવા માટે કાચા મકાનો બનેલા હતા.પાર્કિંગ સાથે લાગેલો ઈમારતનો એક ભાગ ધરાશાયી થતા આ ઘટના બની હતી..મૃતકોમાં સૌથી વધુ બિહાર અને બંગાળના મજૂરોનો સમાવેશ થાય છે.પૂણેના જિલ્લા અધિકારી નવલ કિશોર રામે પ્રભાવિત લોકો માટે તમામ સંભવ મદદની તૈયારી બતાવી હતી..
