પૂર્વ કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન
Live TV
-
પૂર્વ કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન. સંપૂર્ણ રાજકીય સન્માન સાથે નિગમબોધ ઘાટ ખાતે કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર. પુત્ર રોહને આપી મુખાગ્નિ. પરિવારના સભ્યો સહિત અનેક રાજકીય નેતાઓએ ભારે હૈયે આપી વિદાય.
પૂર્વ કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થઈ ગયો છે. સંપૂર્ણ રાજકીય સન્માન સાથે દિલ્હીમાં નિગમબોધ ઘાટ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના પુત્ર રોહને તેમને મુખાગ્નિ આપી હતી. પૂર્વ કેન્દ્રીય મંત્રીના પરિવારના સભ્યો અને અનેક રાજકીય નેતાઓએ તેમને અંતિમ વિદાય આપી હતી. આ પહેલા તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે ભાજપના કાર્યાલયમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં અમિત શાહ, રાજનાથ સિંહ અન્ય કેન્દ્રિય મંત્રીઓ ,ભાજપના અગ્રણીઓ સહિત ગુજરાતના અનેક નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
