પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિન્મયાનંદની ધરપકડ
Live TV
-
યૌન શોષણ મામલામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિન્મયાનંદની એસઆઈટીની ટીમે ઉત્તરપ્રદેશના શાહજહાંપુરથી કરી ધરપકડ, કોર્ટે ચિન્મયાનંદને 14 દિવસના ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા.
બળાત્કારના આરોપી પર્વ કેન્દ્રીય મંત્રી ચિન્મયાનંદની એસઆઈટીએ ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં તેના આવાસ પરથી ધરપકડ કરી હતી. ધરપકડ બાદ ચિન્મયાનંદની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. મેડિકલ તપાસ બાદ ચિન્મયાનંદને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા છે.
ચિન્મયાનંદ વિરુદ્ધ કલમ 376, 354, 342 અને 506 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ ચિન્મયાનંદ તરફથી તેના વકીલે સ્વાસ્થ્યનો હવાલો આપતા કેજીએમયૂમાં મોકલવાનો આગ્રહ કર્યો જેને કોર્ટે ઠુકરાવતા ન્યાયિક કસ્ટડીમાં મોકવાનો આદેશ આપ્યો હતો.
