પૂર્વ કેન્દ્રીય મંત્રી જયપાલ રેડ્ડીનું હૈદરાબાદમાં અવસાન
Live TV
-
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા જયપાલ રેડ્ડીનું હૈરદાબાદમાં અવસાન થયુ છે. જયપાલ રેડ્ડી 77 વર્ષના હતા. તેઓ અનેક દિવસથી બીમાર હતા. ગઈરાતે તબિયત વધુ ખરાબ થતા હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જયપાલ રેડ્ડીનો જન્મ હૈદરાબાદમાં 16 જાન્યુઆરી 1942 માં થયો હતો. તેઓ કોંગ્રેસના કદાવર નેતા હતા. યુપીએ સરકાર વખતે જયપાલ રેડ્ડી કેબિનેટ મંત્રી પદ સંભાળી ચૂક્યા છે. પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહના કાર્યકાળમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિભાગનો કાર્યભાર સંભાળ્યો હતો.
