પેટ્રોલમાં ભેળવવા ઉપયોગમાં લેવાતા ઇથેનોલ પરનો GST 18 ટકા હતો, તે ઘટાડીને 5 ટકા કર્યો
Live TV
-
કેન્દ્ર સરકારે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ કાર્યક્રમ માટે પેટ્રોલમાં ભેળવવા ઉપયોગમાં લેવાતા ઇથેનોલ પરનો વસ્તુ અને સેવા કર 18 ટકા હતો, તે ઘટાડીને પાંચ ટકા કર્યો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ રાજ્યમંત્રી રામેશ્વર તેલીએ, ગઇકાલે લોકસભામાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ નિર્ણયથી ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ કામગીરીને નવું બળ મળશે.
ઇથેનોલના મિશ્રણવાળા પેટ્રોલના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે વર્ષ 2018માં જૈવિક ઇંધણ અંગેની રાષ્ટ્રીય નીતિ જાહેર કરી હતી.
