પેટ્રોલીયમ જતન સંશોધન સંસ્થા (PCRA) દ્વારા ઇંધણની બચત અંગે ઝુંબેશનો આરંભ
Live TV
-
પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દિલ્હીમાં યોજાનાર કાર્યક્રમમાં એક મહિના સુધી ચાલનાર લોક જાગૃતિ ઝુંબેશનો પ્રારંભ કરાવશે
પેટ્રોલીયમ જતન સંશોધન સંસ્થા (પીસીઆરએ) દ્વારા લોકોને કેન્દ્રમાં રાખીને ઇંધણની બચત અંગે લોક જાગૃતિ કેળવવા સક્ષમ ઝુંબેશનો આજથી આરંભ કરાશે. પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દિલ્હીમાં યોજાનાર કાર્યક્રમમાં એક મહિના સુધી ચાલનાર લોક જાગૃતિ ઝુંબેશનો પ્રારંભ કરાવશે. ઇંધણની બચત અને પર્યાવરણના રક્ષણના ધ્યેય સાથે પીસીઆરએ અને તેલ કંપનીઓ સાથે મળીને વિવિધ પ્રવૃતિઓ હાથ ધરશે. જેમાં સાયકલ દિવસ, સાદા ઉપાયો વડે ઇંધણની બચત કરવાના વિવિધ પગલાં અંગે ગૃહિણીઓ સહિત ઇંધણ વપરાશકારો માટે પરિસંવાદોનું આયોજન જેવા પગલાં લેવાશે.
