પોર્ટુગલના પ્રધાનમંત્રી એન્ટોનિયો કોસ્તા આજે PM નરેન્દ્ર મોદીને મળશે
Live TV
-
પોર્ટુગલના પ્રધાનમંત્રી એન્ટોનિયો કોસ્તા , ભારત યાત્રાએ છે. તેઓ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી પર આયોજિત સમારંભમાં , આયોજન સમિતિની બીજી બેઠકમાં ભાગ લેશે. આ ઉપરાંત તેઓ પીએમ મોદી સાથે મુલાકાત પણ કરશે. છેલ્લાં ત્રણ વર્ષમાં ભારત અને પોર્ટુગલના પ્રધાનમંત્રી વચ્ચે , આ ત્રીજી વખત મુલાકાત યોજાઈ રહી છે. 6 ઓક્ટોબર 2019માં , પ્રધાનમંત્રી તરીકે બીજી વખત ચૂંટાયા બાદ, એન્ટોનિયો કોસ્તાની વર્તમાન ભારત યાત્રા , યુરોપ બહારની પ્રથમ યાત્રા છે. આ યાત્રાથી , દ્વિપક્ષીય સંબંધો અને પરસ્પર હિતો માટે , ગાઢ સંપર્ક સ્થાપિત કરવા મદદ મળશે
