પ્રધાનમંત્રીએ કતારનાં અમીર તમીમ બીન હમદ ખલીફા સાથે કરી વાતચીત
Live TV
-
કોરોના સામેની લડાઈમાં ભારત પ્રત્યે એકજૂથતા અને સહાયતાની તૈયારી બદલ પ્રધાનમંત્રીએ કતારનો આભાર વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે કતારનાં અમીર તમીમ બીન હમદ ખલીફા સાથે વાતચીત કરી હતી. અને કોવિડ-19 સામે લડતમાં ભારતને મદદ કરવાની રજૂઆત કરવા બદલ તેઓનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને કતારમાં ભારતીય સમૂહની સાર સંભાળ માટે પણ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ ટ્વીટ કરીને કહ્યુ કે, આજે કતારનાં અમીર તમીમ બીનહમદ સાથે વાતચીત થઈ મેં કોરોના સામેની ભારતની લડાઈમાં એકજૂથતા અને સમર્થનની રજૂઆત માટે તેઓનો આભાર માન્યો. મેં કતારમાં ભારતીય સમૂહની સારસંભાળ માટે લેવામાં આવેલા પગલાં બાબતે પણ તેઓનો આભાર માન્યો.
