પ્રધાનમંત્રીએ કેશરીનાથ ત્રિપાઠીના નિધન પર શોક વ્યક્ત કર્યો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ રાજ્યપાલ કેશરીનાથ ત્રિપાઠીના અવસાન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે, જેમની પાસે બિહાર, મેઘાલય અને મિઝોરમના રાજ્યપાલ તરીકે ટૂંકા ગાળા માટે વધારાનો ચાર્જ પણ હતો. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે તેમણે યુપીમાં બીજેપીના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને રાજ્યની પ્રગતિ માટે સખત મહેનત કરી હતી.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“શ્રી કેશરીનાથ ત્રિપાઠીજી તેમની સેવા અને બુદ્ધિ માટે આદર પામ્યા હતા. તેઓ બંધારણીય બાબતોમાં વાકેફ હતા. તેમણે યુપીમાં બીજેપીના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને રાજ્યની પ્રગતિ માટે સખત મહેનત કરી હતી. તેમના નિધનથી વ્યથિત છું. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”
