પ્રધાનમંત્રીએ ત્રણ સ્થળો પર જાહેર સભા સંબોધી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે તેલંગણાના સિકદરાંબાદ ખાતે જનસભા સંબોધી હતી. આ અગાઉ તેમણે મહારાષ્ટ્રના વર્ધામાં રેલી સંબોધી હતી, ત્યાં 11 એપ્રીલે મતદાન હાથ ધરાશે. આ પ્રસંગે વિપક્ષની ટીકા કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, હજી તો મતદાનને 10 દીવસનો સમય છે ત્યારે અત્યારથી જ NCPમાં પારિવારીક યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારબાદ પ્રધાનમંત્રીએ પોતાના પક્ષના પ્રચાર માટે આંધ્રપ્રદેશના રાજ મહેન્દ્રવરમમાં જનસભા સંબોધી હતી. આ સભામાં કેન્દ્રસરકારની સિધ્ધિઓ ગણાવતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતુ કે, તેમની સરકારે ખેડૂતોના હીતમાં નિર્ણય લીધા છે, સાથે જ TDP સરકાર પર નિશાન સાધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે TDP સરકાર પોલાવર પ્રોજેક્ટ માટે ગંભીર નથી
