પ્રધાનમંત્રીએ દેશની ટોચની કંપનીઓના સીઇઓ સાથે બેઠક આયોજીત કરી હતી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે દેશની ટોચની કંપનીઓના સીઇઓ સાથે બેઠક આયોજીત કરી હતી. બેઠકમાં બેન્કિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર,ઓટો મોબાઇલ, ટેલિકોમ, કન્ઝ્યુમર ગુડ્સ, ટેક્સટાઇલ, હેલ્થકેર, ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરના સીઇઓ સામેલ થયા હતા. આ બેઠક બજેટ 2022 પહેલા કરવામાં આવનારી મહત્વની વાતચીતમાંથી એક છે. આ બેઠક બાદ ટ્રેક્ટર એન્ડ ફાર્મ ઇક્વિપમેન્ટ્સના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર મલ્લિકા શ્રીનિવાસને આ બેઠકની ઘણી જ મહત્વની બેઠક ગણાવી જણાવ્યું કે, ભારતને આગળ લાવવા માટે આ બેઠકમાં ઘણી જ મહત્વપૂર્ણ વાતચીત કરવામાં આવી હતી. તો ટીસીએસના સીઇઓ અને એમડી રાજેશ ગોપીનાથે કહ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની સ્પષ્ટ દ્રષ્ટિનું વર્ણન કરતા જણાવ્યુ હતુ કે ભારતીય કંપનીઓને વૈશ્ચિક રેન્કિંગમાં ટોપ 5માં પહોંચવાની આકાંક્ષા રાખવી જોઇએ. અપોલો હોસ્પિટલ્સ ગ્રુપના ઉપાધ્યક્ષ પ્રિતા રેડ્ડીએ પ્રધાનમંત્રીના નેતૃત્વની સરાહના કરી અને જણાવ્યુ કે, પ્રધાનમંત્રી આગળ વધીને નેતૃત્વ કરે છે જે ઘણુ જ પ્રેરણાદાયક છે.
