પ્રધાનમંત્રીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી દિગ્વિજયસિંહ ઝાલાના નિધન અંગે શોક વ્યક્ત કર્યો
Live TV
-
ભારતના પુર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાતમાં વાંકાનેરના મહારાજા દિગ્વિજયસિંહ ઝાલાજીએ 88 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું અવસાન બાદ દુ:ખ વ્યક્ત કર્યું હતું. PM નરેન્દ્ર મોદીએ આજે એક ટ્વીટ કરતા કહ્યું છે કે, “પૂર્વ કેન્દ્રીય મંત્રી દિગ્વિજયસિંહ ઝાલાજીના નિધનથી દુઃખી છું. તેમણે ગુજરાત અને રાષ્ટ્રીય રાજનીતિમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તેઓ તેમના સમુદાયને તેમના દ્વારા પ્રદાન કરાયેલી સેવા માટે અને પર્યાવરણ માટેના તેમના ઉત્સાહ માટે યાદ રહેશે. તેમના પરિવારને સાંત્વના. ઓમ શાંતિ.”
