પ્રધાનમંત્રીએ પ્રોફેસર ચિત્રા ઘોષના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો
Live TV
-
નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ભત્રીજી અને પ્રોફેસર ચિત્રા ઘોષનું ગત રાત્રે દુઃખદ નિધન થયુ છે..તેમના નિધન પર પ્રધાનમંત્રી સહિત અનેક દિગ્ગજોએ દુઃખની લાગણી વ્યક્ત કરી છે..પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રોફેસર ચિત્રા ઘોષના નિધન પર દુ:ખ વ્યક્ત કરતા ટ્વીટર પર લખ્યુ છે કે પ્રોફેસર ચિત્રા ઘોષે શિક્ષણવિદ્યા અને સમુદાય સેવામાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું, મને તેમની સાથેની થયેલી વાતચીત યાદ આવે છે જ્યારે અમે નેતાજી સુભાષ ચંદ્ર બોઝને લગતી ફાઈલોના ડીક્લેસિફિકેશન સહિત અનેક વિષયો પર ચર્ચા કરી હતી.તેમના નિધનથી દુઃખી છું..તેમના પરિવારના મારી સંવેદના.
