પ્રધાનમંત્રીએ પ. બંગાળના પુરુલિયામાં જનરેલીને કર્યું સંબોધન
Live TV
-
પ્રધાનમંત્રીએ કહ્યું કે પુરુલિયાની ઓળખ દેશના સૌથી પછાતક્ષેત્ર તરીકે થઇ રહી છે. રેલી દ્વારા પ્રધાનમંત્રીએ લોકોને પ્રાયોગિક ધોરણે સમસ્યાઓ દૂર કરવા વિશ્વાસ અપાવ્યો. આજે પુરુલિયામાં પાણીનું સંકટએ સૌથી મોટી સમસ્યા છે. અહીંના ખેડૂતો, આદિવાસી- વનવાસી ભાઈઓ બહેનોને એટલું પાણી પણ નથી મળતું કે તેઓ સારી રીતે ખેતી કરી શકે. સિંચાઈ માટે જેટલું પાણી જોઈએ એ પણ પ્રાપ્ત નથી થતું. અહીંની બહેનોને પીવાનું પાણી મેળવવા માટે ખૂબ દૂર દૂર સુધી જવું પડે છે. પહેલાં વામપંથીઓની સરકાર અને પછી ટીએમસી સરકારે અહીં ઉદ્યોગ ધંધાને વિકસવા નથી દીધા. અહીં સિંચાઈ માટે જેટલું કામ થવું જોઈએ એ પણ નથી થયું.