પ્રધાનમંત્રીએ ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના 106માં સંસ્કરણનું કર્યુ ઉદ્ઘાટન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે પંજાબના જલંધરમાં લવલી પ્રોફેશન યુનિવર્સિટીમાં ભારતીય કોંગ્રેસ પ્રેસના 106માં સંસ્કરણનું ઉદઘાટન કર્યું હતું. આ વખતે વિજ્ઞાન કોંગ્રેસનો વિષય છે. ભવિષ્યનું ભારત -વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વૈજ્ઞાનિકોને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઉન્નત ભારત બનાવવા માટે ભારતના વિજ્ઞાનને મહત્વાકાંક્ષી બનાવવાનું રહેશે. પ્રધાનમંત્રી એ ઓછી કિંમતથી સફળ થતી ટેકનીક વિકસિત કરવા કહ્યું હતું. જેનાથી સામાન્ય માનવીને જોડી શકાય ત્યાર બાદ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ પંજાબના ગુરૂદાસ પુરમાં જન સભાને સંબોધી હતી. અને પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ગુરૂદાસ પુરની ધરતી માનવીય કાર્યો માટે પ્રેરણા આપનારી છે, તેમણે એમ પણ ઉમેર્યું હતું કે N.D.A.સરકાર સંપૂર્ણ પંજાબના વિકાસના કાર્યો કરી રહી છે. તો તેમણે કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર કર્યા હતા.
