પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુરૂ તેગ બહાદૂરજીની 400મી જન્મજયંતિની ઉજવણી કરવા મુદ્દે ઉચ્ચસ્તરીય સમિતિની બેઠક સંબોધી
Live TV
-
શ્રી ગુરુ તેગ બહાદુરજીની 400મી જયંતિ અંગે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજે ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પીએમ મોદી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન આ પ્રકાશ પર્વની ઉજવણી કરવા માટે વર્ષભરના કેલેંડર અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે, કેંદ્ર સરકારે ઓક્ટોબર 2020માં ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી હતી. આ કમિટી પ્રકાશ પર્વની ઉજવણી અને તેની સાથે જોડાયેલી યોજનાઓ અને નીતિ માટે મંજૂરી આપી શકે.
