પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરીક્ષા પે ચર્ચાના ચોથા ભાગ અંતર્ગત વિદ્યાર્થીઓ, શિક્ષકો સાથે કર્યો સંવાદ
Live TV
-
પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દ્વારા પરિક્ષાને લઇને વિદ્યાર્થીઓમાં પ્રવતતા ભય અને માનસિક તાણને દૂર કરતા સૂચનો આપ્યા હતા
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ પરીક્ષા પે ચર્ચા વાર્ષિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અભિભાવકો સાથે સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દ્વારા પરિક્ષાને લઇને વિદ્યાર્થીઓમાં પ્રવતતા ભય અને માનસિક તાણને દૂર કરતા સૂચનો આપ્યા હતા.... આ સાથે વિદ્યાર્થીઓ અને બાળકો સાથે શિક્ષકો તેમજ વાલીઓને કેવું વર્તન કરવું જોઇએ તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.....
પ્રધાનમંત્રીએ વાલીઓને સંદેશો આપતા કહ્યું કે, બાળકોમાં જરૃરી મૂલ્યો સીંચવા માટ માતા-પિતાઓએ પોતાના વ્યવહારમાં પણ તે મૂલ્યોનો અમલ કરીને બાળકોને પ્રેરણા પૂરી પાડવી જોઇએ....પ્રધાનમંત્રીએ દીકરા- દીકરી વચ્ચે થતા ભેદભાવનું ઉદાહરણ ટાંકતા કહ્યું કે,,, દીકરા- દીકરી માટે સમાંતર ભાવવિશ્વ બનાવવું જોઇએ.... કુવૈતથી તનયે પ્રધાનમંત્રીને ઘડતર માટે વિશેષ માર્ગદર્શન માગ્યું હતું.... જેના જવાબમાં પ્રધાનમંત્રીએ તેના વાકશૈલીની પ્રશંસા કરી હતી, તેને નિખારવા સૂચન કર્યું હતું.... પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને નિરિક્ષણ શક્તિને વિકસાવવા પર ભાર મૂક્યો હતો....
પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને તેમના દ્વારા લિખિત એક્ઝામ વોરિયર્સ પુસ્તકને વાંચવા અપીલ કરી હતી.... અમદાવાદની ધારવી બારોટને શીખ આપતાં કહ્યું કે કોરોના કાળમાં વિદ્યાર્થીઓને લોકોની ઉપેક્ષા ન કરતાં તેમનું મહત્વ જાણતા શીખવું જરૂરી છે..આ સાથે પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને આત્મચિંતન કરવા પણ સલાહ આપી હતી..
