પ્રધાનમંત્રીએ વૈસાક, બુદ્ધ પુર્ણીમાનાં અવસરે વૈશ્વિક સમારોહને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધિત કર્યુ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈસાક, બુદ્ધ પુર્ણીમાનાં અવસરે વૈશ્વિક સમારોહને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધિત કર્યુ હતુ..આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘ આઈબીસીના સહયોગથી સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈસાક, બુદ્ધ પુર્ણીમાનાં અવસરે વૈશ્વિક સમારોહને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધિત કર્યુ હતુ..આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘ આઈબીસીના સહયોગથી સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. વર્ચુઅલ ઇવેન્ટમાં વિશ્વભરના બૌદ્ધ સંઘોના સર્વોચ્ચ પ્રમુખની ભાગીદારી જોવા મળી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વભરના 50 થી વધુ અગ્રણી બૌદ્ધ ધાર્મિક નેતાઓ મંડળને સંબોધન કર્યુ હતુ.....COVID-19 રોગચાળાની અસરને કારણે વર્ચુઅલ માધ્યમથી બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે...વેસાક - બુદ્ધ પૂર્ણીમા, ત્રિપલ ધન્ય દિવસ તરીકે માનવામાં આવે છે...પ્રધાનમંત્રીએ પોતાનાં સંબોધનમાં કોવિડ 19 મહામારીમાં તબીબોએ એક વર્ષમાં બનાવેલી રસી અને કોરોનાં વોરિયરની પણ વાત કરી હતી..તેઓએ સંબોધનમાં કહ્યુ કે હતુ ભગવાન બુદ્ધનું જીવન સદભાવ અને સહઅસ્તિત્વનો સંદેશ આપે છે... વૈશાક- બુદ્ધ પુર્ણામાં, ત્રિપલ ધન્ય દિવસ માનવામાં આવે છે કારણ કે તે ગૌતમ બુદ્ધનાં જન્મ, જ્ઞાન અને મહા પરનિર્વાણની ઉજવણી કરવામાં આવે છે..
