પ્રધાનમંત્રીએ ચક્રવાત જવાદ માટે સમીક્ષા કરવા ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ચક્રવાત અંગે એક બેઠક યોજી હતી. જેમાં પ્રધાનમંત્રીએ બંગાળની ખાડીમાં ચક્રવાતની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યો રાજ્યો અને કેન્દ્રિય મંત્રાલયો તેમ જ સંબંધિત એજન્સીઓની તૈયારીઓની સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રીએ સંભવિત ચક્રવાતથી ઉત્પન્ન થયેલી સ્થિતિનો સામનો કરવા માટે અધિકારીઓને તમામ સંભવિત પગલાં સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. પ્રધાનમંત્રીએ એ વાત પર ભાર મુક્યો હતો કે, તોફાનથી અસરગ્રસ્ત થનારા તટીય ક્ષેત્રોથી લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવે સાથે જ પ્રધાનમંત્રીએ નિર્દેશ આપ્યો હતો કે, તમામ આવશ્યક સેવાઓ પૂરી પાડવામાં આવે. સાથે જ પ્રધાનમંત્રીએ કન્ટ્રોલ રૂમને પણ 24 કલાક ચાલુ રાખવાના નિર્દેશ આપ્યા છે.