પ્રધાનમંત્રીનું 26મી ડિસેમ્બરે યોજાનારી મન કી બાત માટે નાગરિકોને મંતવ્યો શેર કરવા આહ્વાન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે, 26મી ડિસેમ્બર 2021ના રોજ યોજાનારી મન કી બાત માટે નાગરિકોને તેમના મંતવ્યો શેર કરવા આહ્વાન કર્યું છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; "મને આ મહિનાની 26મીએ #MannKiBaat માટે ઘણા ઇનપુટ મળ્યા છે, જે 2021ના છેલ્લા હશે. ઇનપુટ્સ ઘણા જુદા જુદા ક્ષેત્રોને આવરી લે છે અને પાયાના સ્તરે પરિવર્તન લાવવા માટે કામ કરતા ઘણા લોકોની જીવન યાત્રાની ઉજવણી કરે છે. તમારા મંતવ્યો શેર કરવાનું ચાલુ રાખો."
