પ્રધાનમંત્રી આજે ઝારખંડના લોહરદગ્ગા ખાતે રેલીને સંબોધશે
Live TV
-
દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન સંપન્ન થઈ ચૂક્યું છે, પરંતુ બાકીની બેઠક પર મતદારોને રીઝવવાનો દોર ચાલુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડના લોહરદગ્ગા ખાતે રેલીને સંબોધશે. પશ્ચિમ બંગાળના બોલાપુર અને રાણાઘાટ ખાતે પણ ચૂંટણી રેલીને સંબોધશે.
દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન સંપન્ન થઈ ચૂક્યું છે, પરંતુ બાકીની બેઠક પર મતદારોને રીઝવવાનો દોર ચાલુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડના લોહરદગ્ગા ખાતે રેલીને સંબોધશે. પશ્ચિમ બંગાળના બોલાપુર અને રાણાઘાટ ખાતે પણ ચૂંટણી રેલીને સંબોધશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાંચીમાં રોડ શો કર્યો હતો. તો આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓરિસ્સાના બાલાસોર ખાતે તેમજ પશ્ચિમ બંગાળના આસાનસોલ ખાતે રેલીઓને સંબોધી હતી. તેમણે બાલાસોર ખાતે રેલીને સંબોધતાં દિવંગત અટલજીની પંક્તિઓને યાદ કરતાં કહ્યું હતું ,કે, અંધેરા છટેગા, સૂરજ નિકલેગા, કમલ ખિલેગા. પશ્ચિમ બંગાળમાં આસાનસોલ રેલીને સંબોધતાં, પ્રધાનમંત્રીએ રાજયની મમતા બેનરજી સરકાર પર પ્રહારો કર્યા હતા.
