પ્રધાનમંત્રી કોરોના વાઇરસને લઇને પીએમનું દેશને સંબોધન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોનાવાયરસના સંક્રમણની સમીક્ષા માટે બુધવારે બેઠક કરી હતી. દેશમાં કોરોના વાઇરસનો કહેર સતત વઘી રહ્યો છે.. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આદે સાંજે 8 વાગ્યે દેશવાસીઓને સંબોધન કર્યું હતું.
વૈશ્વિક મહામારી ગણાતા કોરોના વાયરસનો પ્રકોપ વિશ્વભરમાં ફેલાયો છે, ત્યારે ભારતમાં કોરોના વાયરસના કારણે થયેલી અસર અને તેની સામે કેવી કાળજી રાખવી તેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 કલાકે દેશને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા આ મામલે એક ટ્વિટ કરવામાં આવ્યું છે... ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે એક ઉચ્ચસ્તરીય બેઠકમાં કોવિડ-19ને અટકાવવા અને તેનો પ્રકોપ ઘટાડવાને લઈને કરાતી કાર્યવાહીની સમીક્ષા કરી હતી.. જેમાં ભારતની તૈયારીઓને વધુ મજબૂત કરવા પર ચર્ચા થઈ હતી.. જોકે દેશમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા 150થી પણ વધુ થઇ છે.
