પ્રધાનમંત્રી ચાર મહિના બાદ આજે કરશે 'મન કી બાત'
Live TV
-
આજે સવારે અગિયાર વાગ્યે દેશની જનતાને કરશે સંબોધન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાર મહિના બાદ આજ સવારે 11 વાગ્યે 'મન કી બાત' કાર્યક્રમ કરશે. લોકસભા ચૂંટણી 2019 બાદ આ તેમનો પહેલો કાર્યક્રમ હશે.પીએમ મોદીએ ટ્વિટ કરીને મન કી બાત કાર્યક્રમ ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી.. પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું કે, સકારાત્મકતાની શક્તિ અને 130 કરોડ ભારતીયોની તાકાતનો ઉત્સવ મનાવવા માટે ચાર મહિના બાદ મન કી બાત ફરી પરત આવી રહ્યો છે. આજે સવારે 11 વાગ્યે કાર્યક્રમને સાંભળજો.
