પ્રધાનમંત્રી તરફથી ખેડૂતોને નવા વર્ષની ભેટ
Live TV
-
આજે વિશ્વ કોરોના અને તેના કારણે આવેલી આર્થિક મંદી નો સામનો કરી રહ્યો છે સાથે ખેડૂતોના પ્રશ્નો વચ્ચે લોકહિત માટે એક સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે .ડુંગળીએ ગરીબોની કસ્તુરી કહેવાય છે અને ઘણા સમયથી જ્યારે કેટલાય સમયથી ડુંગળીના ભાવ માં વધારો ઘટાડો જોવા મળી રહ્યો હતો.
કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર મુકવામાં આવેલા પ્રતિબંધને હટાવવાનો નિર્ણય કર્યો છે. 1 જાન્યુઆરી 2021થી આ પ્રતિબંધ હટાવવામાં આવશે. ડુંગળીના ભાવમાં દિન-પ્રતિદિન વધારો થવાને કારણે સરકારે થોડા મહિનાઓ પહેલા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુક્યો હતો. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોહેલ એક ટ્વિટ દ્વારા જણાવ્યુ હતુ ,કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અનુમતિથી આ પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધ હટાવતા ખેત ઉત્પાદકોમાં આવક વધશે. અને દેશ અને વિદેશોમાં પણ ડુંગળની નિકાસ કરવામાં વેગ મળશે.
