પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી તામિલનાડુ અને લક્ષદ્વીપની બે દિવસીય મુલાકાતે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી તામિલનાડુ અને લક્ષદ્વીપની બે દિવસીય મુલાકાતે જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તામિલનાડુમાં તિરુચિરાપલ્લી પહોંચશે જ્યાં તેઓ મુખ્ય અતિથિ તરીકે ભારતીદાસન યુનિવર્સિટીના 38માં દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી તિરુચિરાપલ્લીમાં એક જાહેર કાર્યક્રમમાં ઉડ્ડયન, રેલ, માર્ગ, તેલ અને ગેસ અને શિપિંગ સંબંધિત રૂ. 19,850 કરોડથી વધુના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અનેક રેલવે પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત પણ કરશે. આમાં લગભગ 41 કિમી લાંબા સાલેમ-મેગ્નેસાઇટ જંકશન-ઓમાલુર-મેટુર ડેમ સેક્શનના ડબલિંગ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મદુરાઈ-તુતીકોરિન સુધીના 160 કિમી રેલ લાઇન સેક્શનને બમણું કરવાનો પ્રોજેક્ટ અને રેલ લાઇન ઇલેક્ટ્રિફિકેશન માટે ત્રણ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી માર્ગ ક્ષેત્રે પાંચ પ્રોજેક્ટ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે, જેમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-81ના ત્રિચી-કલ્લગામ વિભાગ માટે 39 કિલોમીટર લાંબો ચાર માર્ગીય માર્ગ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ-81ના કલ્લાગામ-મેન્સરુટ્ટી વિભાગ માટે 60 કિલોમીટર લાંબો રસ્તો સામેલ છે.
રાષ્ટ્રીય ધોરીમાર્ગ-785 ના ત્રિચી-કલ્લગામ વિભાગ માટે ચાર-માર્ગીય માર્ગ. આમાં ચેટ્ટીકુલમ-નાથમ વિભાગના 29 કિમી લાંબા ચાર-માર્ગીકરણ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ-536ના 80 કિમી લાંબા કરાઈકુડી-રામનાથપુરમ વિભાગના દ્વિ-માર્ગીકરણ અને ચાર-માર્ગીકરણનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ-179A સેલમ - તિરુપથુર - વાણીયંબડી રોડના 44 કિમી લાંબા વિભાગનો. પ્રધાનમંત્રી કામરાઝર પોર્ટનો જનરલ કાર્ગો બર્થ-2 પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી એટોમિક રિસર્ચ સેન્ટર, કલ્પક્કમ ખાતે ડેમોસ્ટ્રેશન ફાસ્ટ રિએક્ટર ફ્યુઅલ પ્રોસેસિંગ પ્લાન્ટ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લક્ષદ્વીપમાં અગાટી પહોંચશે જ્યાં તેઓ એક જાહેર સમારોહને સંબોધિત કરશે.
બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લક્ષદ્વીપમાં કાવારત્તી પહોંચશે જ્યાં તેઓ ટેલિકોમ, પીવાનું પાણી, સૌર ઉર્જા અને આરોગ્ય જેવા ક્ષેત્રો સાથે સંબંધિત અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી કદમત ખાતે લો ટેમ્પરેચર થર્મલ ડિસેલિનેશન પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. રાષ્ટ્રને સમર્પિત અન્ય પ્રોજેક્ટ્સમાં કાવારત્તી ખાતેનો સોલાર પાવર પ્લાન્ટનો સમાવેશ થાય છે, જે લક્ષદ્વીપનો પ્રથમ બેટરી સપોર્ટેડ સોલાર પાવર પ્રોજેક્ટ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કલ્પેની ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પુનઃનિર્માણ અને એન્ડ્રોથ, ચેટલેટ, કદમત, અગાતી અને મિનિકોયના પાંચ ટાપુઓમાં પાંચ મોડેલ આંગણવાડી કેન્દ્રોના નિર્માણ માટે શિલાન્યાસ કરશે.
