પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં ઓનલાઇન કેમ્પેઈન શરૂ કર્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં ઓનલાઇન કેમ્પેઈન શરૂ કર્યું છે. પીએમ મોદીએ કેમ્પેઇનની શરૂઆત કરતાં લખ્યું છે કે CAAનું ભારત સમર્થન કરે છે કારણે કે આ બિલ પિડીત લોકોને નાગરિકતા આપે છે. પરંતુ કોઇની નાગરિકતા છીનવતું નથી.
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં ઓનલાઇન કેમ્પેઈન શરૂ કર્યું છે. પીએમ મોદીએ કેમ્પેઇનની શરૂઆત કરતાં લખ્યું છે કે CAAનું ભારત સમર્થન કરે છે કારણે કે આ બિલ પિડીત લોકોને નાગરિકતા આપે છે. પરંતુ કોઇની નાગરિકતા છીનવતું નથી. નમો એપ પર CAA સંબંધિત દસ્તાવેજ, વીડિયો અને બિલ મુદ્દાનું તમામ સ્પષ્ટીકરણ છે. પીએમ મોદીએ અનુરોધ કર્યો કે, આપ પણ આ કેમ્પેઇનમાં જોડાઇને બિલના સમર્થનમાં એક અભિયાન ચલાવો. આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ CAAના સમર્થનમાં સદગુરુ જગ્ગી વાસુદેવનો વીડિયો તેમના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો છે અને જણાવ્યું છે કે, સદગુરુ જગ્ગી વાસુદેવ તરફથી નાગરિકતા કાયદા સાથે સંબંધિત મુદ્દાની સ્પષ્ટ વ્યાખ્યાને સાંભળો. તેમણે ઐતિહાસિક સંદર્ભ આપતા આપણા ભાઇચારાની સંસ્કૃતિ પર સારો પ્રકાશ પાડ્યો છે. સદગુરુ જગ્ગી વાસુદેવે CAA મુદ્દે તેમના વિચારો વ્યક્ત કર્યાં છે.
