પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંતર્દેશીય જળમાર્ગ ટર્મિનલ પરિયોજનાને અને બે નેશનલ હાઈવે દેશને કર્યા સમર્પિત
Live TV
-
વારાણસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાને પ્રધાન સેવક ગણાવતાં વિશાળ રેલીને સંબોધન કરતાં જણાવ્યું કે, વારાણસીના સાંસદ હોવાને નાતે આજે મારા માટે બેવડી ખુશીનો પ્રસંગ છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસી પહોંચી 2,413 કરોડની અંતર્દેશીય જળમાર્ગ ટર્મનિલ પરિયોજનાને અને બે નેશનલ હાઈવેને દેશને સમર્પિત કર્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ પ્રથમ કંટેનર કાર્ગો આર.એન.ટાગોરનું સ્વાગત કર્યું હતું. તેમણે ત્યાં ઉમટેલી ભીડનું અભિવાદન કર્યું હતું. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. ઉપરાંત પ્રધાનમંત્રી વારાણસીમાં રિંગરોડ અને બાબતપુરમાં એરપોર્ટનું ઉદ્દઘાટન પણ કર્યુ.વારાણસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાને પ્રધાન સેવક ગણાવતાં વિશાળ રેલીને સંબોધન કરતાં જણાવ્યું કે, વારાણસીના સાંસદ હોવાને નાતે આજે મારા માટે બેવડી ખુશીનો પ્રસંગ છે આ પવિત્ર ભૂમિથી વારણસી સાથે આધ્યાત્મિક સંપર્ક તો છે પરંતુ આજે જળ,સ્થળ અને વાયુ સાથે જોડનારી નવી ઉર્જાને સંચાર આ ક્ષેત્રને મળશે. ૨૦૦ કરોડ કરતાં વધારે કિંમતથી બનનાર મલ્ટી મોડલ ટર્મીનલનું પણ લોકાર્પણ કર્યું.
