પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અરૂણ જેટલીને આપી શ્રધ્ધાંજલિ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના પ્રિય નેતાના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ સહિત તમામ રાજકીય પક્ષોના નેતાઓએ પુષ્પાજંલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પી.
પૂર્વ કેબિનેટ સાથીદાર અને મિત્ર અરૂણ જેટલીના અવસાનના સમાચાર મળતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાવુક થઈ ગયા હતા. બહેરિનમાં નેશનલ સ્ટેડિયમ ખાતે ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરતી વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેટલી સાથેની પોતાની દાયકાઓ જૂની મિત્રતાને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા. બહેરિનની ભૂમિ પરથી પ્રધાનમંત્રી મોદીએ અરૂણ જેટલીને અંજલિ આપી હતી. પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીના નિધન અંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ. વૈંકેયા નાયડુ એ શોક વ્યક્ત કર્યો હતો અને શ્રધ્ધાંજલિ આપી હતી.
