પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખ્વાજાના ઉર્સ માટે ચાદર મોકલી
Live TV
-
અજમેર શરીફ ખાતે 14 માર્ચથી ઉર્સ શરુ થઈ રહ્યો છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીના 807માં ઉર્સના અવસર પર પોતાના તરફથી ચાદર ચઢાવવા માટે શનિવારે અજમેર શરીફની દરગાહના એક પ્રતિનિધિમંડળને આ સોંપ્યું. વડાપ્રધાને દરગાહના પ્રતિનિધિમંડળને ચાદર સોંપવાનો ફોટો ટ્વિટર પર શેર કરતા લખ્યું કે આ ખ્વાજા ચિશ્તીના ઉર્સમાં ચઢાવવામાં આવશે. આ મુલાકાતમાં લઘુમતી કાર્ય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી પણ ઉપસ્થિત રહ્યા હતા

