પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂગ્રામના કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસ વેનું કર્યું ઉદ્દઘાટન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂગ્રામના કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસ વેનું ઉદ્દઘાટન કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂગ્રામના કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસ વેનું ઉદ્દઘાટન કર્યું હતું. આ એક્સપ્રેસ વે થકી દિલ્હીમાં પ્રદૂષણ ફેલાવતા વાહનોનું ભારણ ઘટશે. પ્રધાનમંત્રીએ એસ્કોટર્સ મુજેસર- બલ્લભગઢ મેટ્રોલિંકનો શુભારંભ કરાવ્યો હતો. આ સાથે જ પ્રધાનમંત્રીએ પલવલમાં વિશ્વકર્મા કૌશલ વિદ્યાલયની આધારશિલા મૂકી હતી. 960 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર વિશ્વકર્મા કૌશલ વિશ્વવિદ્યાલય MSME સેકટરને વધુ મજબૂતી પ્રદાન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે હરિયાણાએ વિકાસની દિશામાં એક મહત્વનું પગલું ઉઠાવ્યું છે વધુમાં તેમણે દેશની જળશક્તિ જલસંસાધન અને પર્યાવરણની રક્ષા પર પણ ભાર મૂક્યો હતો.
