પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્લોબલ મિલેટ્સ સંમેલનનું નવી દિલ્હી સ્થિત ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાનમાં કર્યું ઉદ્ઘાટન
Live TV
-
સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે જાહેર કર્યું છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ભારતીય કૃષિ સંશોધન સંસ્થામાં ગ્લોબલ મિલેટ્સ એટલે કે શ્રી અન્ન સંમેલનનું ઉદધાટન કર્યું છે. આ સંમેલનને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારતના પ્રસ્તાવ અને પ્રયાસ બાદ સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે જાહેર કર્યું છે. તેને સિધ્ધી સુધી પહોચાડવાની જવાબદારી પણ એટલી જ મહત્વની છે. તેમણે કહ્યું કે વિશ્વ જ્યારે આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ભારત આ અભિયાનની આગેવાની કરી રહ્યું છે. આમા મોટા ધાનની ખેતી, તેની સાથે જોડાયેલી અર્થવ્યવસ્થા, આરોગ્ય પર તેનો પ્રભાવ, ખેડૂતોની આવક આવા અનેક વિષયો પર અનુભવીઓ અને વિદ્વાનો પોતાના વિચારો રજૂ કરશે.
