પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નમો એપના માધ્યમથી મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે કર્યો સંવાદ
Live TV
-
યુવાનો, મહિલાઓ અને જે લોકો પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગતા હોય તેમને સરકારે મુદ્રા યોજના દ્વારા નવી તક પૂરી પાડી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નમો એપના માધ્યમથી પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે યુવાનો, મહિલાઓ અને જે લોકો પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગતા હોય તેમને સરકારે મુદ્રા યોજના દ્વારા નવી તક પૂરી પાડી હતી. દાયકા પહેલા આ યોજના શરૂ થઈ જાત તો લોકોને શહેરો ભણી દોટ માંડવાની જરૂર ના હોત. તેમણે કહ્યું હતું કે, દેશમાં યુવા પ્રતિભાની કમી નથી અને આ ઉદ્યમશીલ લોકોનું દેશના વિકાસમાં મોટું યોગદાન છે". મુદ્રા યોજનાના લાભાર્થીઓ નમો એપ દ્રારા સંવાદમાં જોડાયા હતા અને નરેન્દ્ર મોદી સાથે સીધો જ સંવાદ કરીને મુદ્રા યોજનાના અમલીકરણ માટે મોદી સરકારનો આભાર માન્યો હતો.
