બેન્કના કર્મચારીઓ બે દિવસ હડતાલ પર
Live TV
-
એસબીઆઈએ સ્વીકાર કર્યો છે કે હડતાલની અસર બેન્કિંગ સેવાઓ પર પડશે.
બૅન્ક કર્મચારીઓની પગાર વધારાની માગણી અંગેની મંત્રણાઓ પડી ભાંગતા દેશની તમામ રાષ્ટ્રીયકૃત બૅન્કના કર્મચારીઓ 30મી અને 31મેએ બે દિવસની હડતાળ પાડી છે. ઇન્ડિયન બૅન્ક એસોસિએશન પગાર વધારાના મુદ્દે એક વર્ષથી નિર્ણય ન લેતી હોવાથી બૅન્ક કર્મચારીઓએ ગુજરાત સહિત દેશભરમાં બે દિવસની હડતાળ પાડવા નિર્ણય કર્યો છે
સરકારી બેંકોના હજારો કર્મચારી અને અધિકારીઓએ 30 અને 31મી મેના રોજ દેશવ્યાપી હડતાલની જાહેરાત કરી છે. હડતાલને કારણે દેશની બેન્કિંગ સિસ્ટમ ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત તશે. બિઝનેસ અને ઉદ્યોગો પર પણ તેની ખરાબ અસર પડશે. દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈએ સ્વીકાર કર્યો છે કે હડતાલની અસર બેન્કિંગ સેવાઓ પર પડશે. બેંક યૂનિયને પગારમાં બે ટકાનો જ વધારો કરવાનો વિરોધ કરીને હડતાલની જાહેરાત કરી છે.
