પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાસીઘાટમાં વિપક્ષ પર કર્યા પ્રહાર
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તરમાં ચૂંટણી અભિયાનને વધુ તેજ બનાવી હતી. તેમણે અરૂણાચલ પ્રદેશના પાસીઘાટમાં ચૂંટણી સભાને સંબોધિત કરીને પોતાના પક્ષ માટે પ્રચાર કર્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તરમાં ચૂંટણી અભિયાનને વધુ તેજ બનાવી હતી. તેમણે અરૂણાચલ પ્રદેશના પાસીઘાટમાં ચૂંટણી સભાને સંબોધિત કરીને પોતાના પક્ષ માટે પ્રચાર કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું, કે આ વખતની ચૂંટણી વચનો અને ઈરાદાઓ વચ્ચેની ચૂંટણી છે. પ્રધાનમંત્રી મોદી એ કોંગ્રેસ પર ફરી પ્રહાર કર્યા.. અને કહ્યું કે, કોંગ્રેસે ફક્ત દગો આપવાનું કામ કર્યું છે, જ્યારે એનડીએની સરકાર દરેક મુશ્કેલીઓના સમાધાન માટેનું કામ કરી રહી છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, તેઓ દરેક પડકારોને પડકાર આપનાર ઇન્સાન છે. સીલીગુડી અને કોલકાતામાં પ્રધાનમંત્રી મોદીએ રેલીને સંબોધિત કરી હતી. જેમાં તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પર પ્રહાર કર્યા હતા. તેમણે મમતા બેનરજીને, બંગાળના વિકાસના સ્પીડ બ્રેકર તરીકે ગણાવ્યા હતા.
