પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનના PM સાથે કરી વાત
Live TV
-
PM મોદીએ લંડનમાં ભારતીય હાઈકમિશન સામે પાકિસ્તાન સમર્થકોના હિંસાત્મક પ્રદર્શન પર વ્યક્ત કરી ચિંતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનના પ્રધાનમંત્રી બોરીસ જહોન્સલ સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી.પ્રધાનમંત્રીએ બોરીસ જહોન્સલને બ્રિટનના પ્રધાનમંત્રી બનવા પર શુભકામના પાઠવી હતી. આ ઉપરાંત તેમણે ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધો વધુ મજબૂત કરવા પર પણ ભાર મુક્યો હતો.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદ સાથે લડવા માટેની જરૂરિયાત જણાવી હતી. આ વાતચીત દરમિયાન હાલમાં જ લંડનમાં ભારતીય હાઈ કમિશન પાસે પાકિસ્તાની સમર્થકોના હિંસક પ્રદર્શનનો મામલો ઉઠાવવામાં આવ્યો હતો. આ ઘટના પર બોરીસ જહોન્સલને ખેદ પણ વ્યક્ત કર્યો હતો.સાથે જ પીએમ જહોન્સલને ભારતીય ઉચ્ચાયુક્તની સુરક્ષાનો વિશ્વાસ પણ અપાવ્યો હતો.
