પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગાભ્યાસનો વિડિયો ટ્વીટર પર શેર કર્યો, લખ્યુ તણાવમાં થશે મદદરૂપ
Live TV
-
લોકો ઘરમાં યોગથી કેવી રીતે સ્વસ્થ થઇ શકે તે અંગે વડાપ્રધાન મોદી વીડિયો દ્વારા માહિતી શેર કરી રહ્યા છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ટ્વીટર પેજ પર અગાઉ યોગાસનની જાણકારી આપતો વિડિયો શેર કરી ચૂક્યા છે.. ત્યારે આજે તેમણે વધુ એક વિડિયો શેર કર્યો છે. આ વીડિયો શેર કરીને તેમણે કહ્યું કે તે શરીર અને મનને પ્રસન્ન રાખે છે. ટ્વિટર પર યોગનિદ્રાનો વીડિયો શેર કરીને તેમણે લખ્યું કે જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં એક કે બે વખત હું યોગ નિદ્રાનો અભ્યાસ ચોક્કસથી કરું છું. તેનાથી શરીર સ્વસ્થ અને મન પ્રસન્ન રહે છે સાથે તણાવમાં ચિંતા ઓછી કરે છે.
