પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટમાં 48 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું
Live TV
-
છેલ્લા 10 વર્ષમાં સરકારે દેશમાં 10 નવા AIIMSને મંજૂરી આપી છે, છેલ્લા 10 વર્ષોમાં MBBS અને PG સીટોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે: PM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટમાં 48 હજાર કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યુ હતુ. કાર્યક્રમમાં સભાને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, દેશમાં લોકોને સસ્તી આરોગ્યસંભાળ પૂરી પાડવી એ તેમની સરકારની ટોચની પ્રાથમિકતા છે.
રાજકોટમાં 48,000 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના પાંચ નવા AIIMS અને વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના લોકાર્પણ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેમની સરકાર દેશમાં હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે અથાક મહેનત કરી રહી છે. પ્રધાનમંત્રી કહ્યું કે, રોગોની રોકથામ અને રોગો સામે લડવાની ક્ષમતા વધારવી એ પણ તેમની સરકારની પ્રાથમિકતા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, છેલ્લા 10 વર્ષમાં સરકારે દેશમાં 10 નવા AIIMSને મંજૂરી આપી છે. છેલ્લા 10 વર્ષોમાં એમબીબીએસ અને પીજી સીટોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, એમ તેમણે ઉમેર્યું હતું. PMએ કહ્યું કે આજે ઉદ્ઘાટન કરવામાં આવી રહેલા વિશાળ સ્વાસ્થ્ય પ્રોજેક્ટ્સ વિકસિત ભારતની ભાવિ આરોગ્યસંભાળ પ્રણાલી દર્શાવે છે.
પ્રધાનમંત્રી મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે સરકાર પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ કરવા અને સોલાર અને વિન્ડ પાર્ક સ્થાપવા માટે પણ પ્રોત્સાહિત કરી રહી છે. તેમણે કહ્યું કે પીએમ સૂર્યઘર યોજના દ્વારા, સરકાર મધ્યમ વર્ગના પરિવારોના વીજળીના બિલને શૂન્ય સુધી ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે.બેટ દ્વારકા ખાતેના તેમના ઊંડા સમુદ્રના અનુભવ વિશે વાત કરતા પીએમએ કહ્યું કે વિકસિત ભારતની તેમની વિઝનને આજે આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થઈ છે.આ કાર્યક્રમ દરમિયાન, વડા પ્રધાને શિલાન્યાસ કર્યો અને 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 11,500 કરોડથી વધુના મૂલ્યના 200 થી વધુ હેલ્થ કેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કર્યા.