પ્રધાનમંત્રી મોદીએ રાજકોટ ખાતે એઈમ્સ સહિત 48 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજકોટ ખાતે કેન્દ્ર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગોના 48 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું હતુ. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ રાજકોટ સહિત દેશભરમાં બનેલી પાંચ એઇમ્સ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. 1 હજાર 195 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી રાજકોટ એઇમ્સ ગુજરાતની પ્રથમ અત્યાધુનિક એઇમ્સ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છ ખાતે 16,200 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે પાવર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહુર્ત તેમજ નવ હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નવા મુંદ્રાથી પાણીપત ક્રૂડ-ઓઇલ પાઇપલાઇન પ્રોજેક્ટનું ખાતમુહુર્ત કર્યુ.
તેમજ NHAIના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યુ, જેમાં ભાગનગરમાં બે હજાર કરોડના ખર્ચે નિર્માણ થયેલા બે હાઇવેનું લોકાર્પણ અને કચ્છમાં એક હજાર 500 કરોડના ખર્ચે બનનારા નવા છ લેન હાઇવેનું ખાતમુહુર્ત કર્યુ. ઉપરાંત કચ્છ અને સુરેન્દ્રનગર ખાતે 2100 કરોડથી વધુના રેલ્વે પ્રોજેકટનું લોકાર્પણ અને ખાતમુર્હુત પણ કર્યુ હતુ.