પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું કર્યું ઉદ્ઘાટન
Live TV
-
આ સ્મારકમાં ચાર વૃત આકાર પરિસર હશે અને એક ઊંચો સ્મૃતિ સ્તંભ હશે જેની સપાટી પર અખંડ જ્યોત રહેશે
દેશ માટે પોતાનું બલિદાન આપનાર ,વીર શહીદોને સન્માન આપવા માટે રાજધાની દિલ્હીમાં બનેલ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉદ્ઘાટન કરશે. આ સ્મારકમાં ચાર વૃત આકાર પરિસર હશે અને એક ઊંચો સ્મૃતિ સ્તંભ હશે જેની સપાટી પર અખંડ જ્યોત રહેશે. પી.એમ.મોદી ઈન્ડિયા ગેટ પરિસર માં, પથ્થરથી બનેલ સ્તંભની નીચે બનેલ જ્યોતિને પ્રજવલિત કરી 40 એકરમાં ફેલાયેલા યુદ્ધ સ્મારક ને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ સ્મારક આઝાદી બાદથી વિવિધ યુદ્ધો અને ઓપરેશન માં શહિદ થયેલ 25,492થી વધુ સૈનિકોના સમ્માનમાં બનાવવા માં આવ્યું છે.
