પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધી મધ્યપ્રદેશની એક દિવસીય મુલાકાત
Live TV
-
ઈન્દોરમાં શહેરી વિકાસ પરિયોજનાઓ અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ કર્યું હતું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસના પ્રવાસે મધ્યપ્રદેશની મુલાકાતે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈન્દોરમાં શહેરી વિકાસ મહોત્સવમાં પહોંચ્યા હતા અને શહેરી વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ કર્યું હતું.જબલપુરમાં રીમઝીમ વરસાદ વચ્ચે હવન-પૂજાથી સ્થાનિકોએ ગૃહપ્રવેશ કર્યો હતો. આ તકે પ્રધાનમંત્રી સાથે લાભાર્થીઓએ પોતાના મનની વાત પણ કરી અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ ઉજ્જૈન સ્માર્ટ સીટીનું પણ લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા સર્વેક્ષણ -2018 અંતર્ગત વિજેતાઓને પુરસ્કાર એનાયત કર્યા હતા.
