પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની 75મી વર્ષગાંઠ પર કર્યું સંબોધન
Live TV
-
સંયુકત રાષ્ટ્ર મહાસભાનું વાષિક સત્ર 21 સપ્ટેમ્બરથી ન્યુયોર્કમાં શરૂ થયુ છે. આ વર્ષે સંયુકત રાષ્ટ્રની 75મી વર્ષગાઠ પણ છે. જેના અનુસંધાનમાં વિશેષ કાર્યક્રમનું આયોજન થયુ છે.
સંયુકત રાષ્ટ્ર મહાસભાનું વાષિક સત્ર 21 સપ્ટેમ્બરથી ન્યુયોર્કમાં શરૂ થયુ છે. આ વર્ષે સંયુકત રાષ્ટ્રની 75મી વર્ષગાઠ પણ છે. જેના અનુસંધાનમાં વિશેષ કાર્યક્રમનું આયોજન થયુ છે. જેને અન્ય દેશના નેતાઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં સંયુકત રાષ્ટ્રમાં સુધારા સાથે બહુપક્ષવાદની જરૂરિયાત ઉપર ભાર મુક્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે સંયુકત રાષ્ટ્રએ ગત 75 વર્ષમાં ધણું હાંસલ કર્યું છે પરંતુ તેનો મુળ ઉદેશ અધુરો છે. તેમણે કહ્યું કે સંધર્ષને રોકવા અને વિકાસને સુનિશ્ચીત કરવા માટે ધણું કામ કરવાનું બાકી છે.
