પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાંસદો માટે બનાવેલા બહુમાળી મકાનોનું ઉદ્ધાટન કર્યુ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાંસદો માટે બનાવેલા બહુમાળી મકાનોનું વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉદ્ઘાટન કર્યુ. આ અવસરે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પણ ઉપસ્થિત રહ્યા હતા.
76 આવાસ બનાવવામાં આવ્યા છે
આ નવા મકાનો નવી દિલ્હી સ્થિત ડોક્ટર બી.ડી. માર્ગ પર આવેલ છે. જે આશરે 80 વર્ષથી વધુ જુના 8 બંગલાની જમીનને પૂન: વિકસિત કરી આ 76 આવાસ બનાવવામાં આવ્યા છે.
નિર્માણમાં કુલ રકમના ૧૪ ટકા ઓછો ખર્ચ થયો છે
આ આવાસોના નિર્માણ પર સ્વીકૃત કુલ રકમના ૧૪ ટકા ઓછો ખર્ચ થયો છે. કોવિડ-૧૯ મહામારી હોવા છતા ઘણા ઓછા સમયમાં આ કાર્ય પૂર્ણ થયુ છે. આ આવાસના નિર્માણ દરમ્યાન વિભિન્ન હરિત નિર્માણ પાસાઓનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
