પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંરક્ષણ મંત્રાલયના 'રક્ષા મેં આત્મનિર્ભરતા કોલ ટુ એક્શન' વેબિનારમાં સંબોધન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રક્ષા મંત્રાલય દ્વારા આયોજીત પોસ્ટ-બજેટ વેબિનાર 'ડિફેન્સ-કોલ ટુ એક્શન'ને સંબોધન કર્યું હતુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ વર્ષના બજેટમાં રીસર્ચ, ડિઝાઇન અને ડેવલોપમેન્ટને લઇને ઉત્પાદન સુધી એક વાઇબ્રન્ટ ઇકો સિસ્ટમ વિકસિત કરવાની બ્લુ-પ્રિન્ટ છે. રક્ષા બજેટમાં લગભગ 70 ટકા ઘરેલુ ઉદ્યોગ માટે જોગવાઇ રાખવામાં આવી છે. આ વેબિનારમાં રક્ષા મંત્રાલય, રક્ષા ઉદ્યોગ, સ્ટાર્ટઅપ, એકેડેમીક જગત અને ડિફેન્સ કોરિડોર પર વિશેષજ્ઞો સાથે પેનલ ચર્ચા કરશે. સમાપન સમારોહની અધ્યક્ષતા રાજનાથસિંહ કરશે. ઉલ્લેખનીય છે કે રક્ષામંત્રાલયે સંબંધિત કેન્દ્રીય બજેટ 2022-23માં રક્ષાના ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને વધુ મજબુત બનાવવા પર ભાર મુકવામાં આવ્યો છે. આ સંબંધમાં બજેટમાં કરવામાં આવેલ ધોષણાઓ પર રક્ષામાં આત્મનિર્ભરતા, કોલ ટુ એકશન વેબિનારનું આયોજન રક્ષા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યુ હતુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વેબિનારમાં ભાષણ આપ્યુ હતુ. વેબિનારનો ઉદ્દેશ રક્ષાક્ષેત્રમાં સરકારના વિવિધ પહેલુઓને આગળ ધપાવવામાં તમામ હીત ધારકોને સામેલ કરવાનો હતો.
