પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંયુક્ત રાષ્ટ્રનો પ્રતિષ્ઠિત ચેમ્પિયન ઓફ અર્થ પુરસ્કાર આપવામાં આવ્યો
Live TV
-
સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણ વિભાગે જાહેરાત કરી છે. કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમ્મેન્યુએલ મેંક્રોને નીતિ નેતૃત્વના વર્ગમાં આંતરરાષ્ટ્રીય સૌરગઠબંધનના પ્રયાસોને વધાવવા આ એવોર્ડ આપવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંયુક્ત રાષ્ટ્રનો પ્રતિષ્ઠિત ચેમ્પિયન ઓફ અર્થ પુરસ્કાર આપવામાં આવ્યો છે.સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણ વિભાગે જાહેરાત કરી છે. કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમ્મેન્યુએલ મેંક્રોને નીતિ નેતૃત્વના વર્ગમાં આંતરરાષ્ટ્રીય સૌરગઠબંધનના પ્રયાસોને વધાવવા આ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ સન્માન પર્યાવરણના ક્ષેત્રે પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે માન્યતા આપે છે. આ એવોર્ડમાં પીએમ મોદીને પ્લાસ્ટિક વપરાશ ખતમ કરવાની પ્રતિબદ્ધતા સામેલ છે.ઉલ્લેખનીય છે કે, આ પુરસ્કાર આવતા મહિને નવી દિલ્હીમાં સંયુક્ત રાષ્ટ્રના પ્રતિનિધિ પીએમ મોદીને અર્પણ કરશે.પીએમ મોદીએ વીડિયો સંદેશમાં જણાવ્યું છે કે, હું વિશ્વસમુદાયનો આભારી છું કે, આ સન્માન માટે મને પસંદ કર્યો.
