પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી કર્ણાટકની બે દિવસની મુલાકાતે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી કર્ણાટકની બે દિવસની મુલાકાતે છે. પ્રધાનમંત્રી અહીં પીએમ કિસાન સહાય યોજનાના ત્રીજા હપ્તાની ફાળવણી કરશે. આમ થતાં લગભગ છ કરોડ લાભાર્થીને મદદ મળશે. પ્રધાનમંત્રી આજે તુમકુર ખાતે સિદ્ધગંગા મઠની મુલાકાત પણ લેશે. અહીં તેઓ આદ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી કુમારસ્વામીને શ્રદ્ધાંજલિ આપશે. તિમકુરમાં જ એક અન્ય કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ખેડૂતોને કૃષિ કર્મણ પુરસ્કાર પ્રદાન કરશે. અને જનસભાને પણ સંબોધશે. પ્રધાનમંત્રી તુમકુરથી બેંગ્લુરુ જશે અને ડીઆરડીઓના એક કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી અહીં પાંચ યુથ સાયન્સ પ્રયોગશાળા રાષ્ટ્રને સમર્પિત કરશે.
