પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી દક્ષિણ ભારતના પ્રવાસે
Live TV
-
આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી દક્ષિણ ભારતના પ્રવાસે જશે. પ્રધાનમંત્રી આજથી દક્ષિણના રાજ્યો તમિલનાડુ, કર્ણાટક અને તેલંગાણાના પ્રવાસે છે. એક મહિનામાં પ્રધાનમંત્રીની તમિલનાડુની આ ત્રીજી મુલાકાત હશે.
પ્રધાનમંત્રી કન્યાકુમારીમાં વિશાળ જનસભાને સંબોધશે. તેમજ પ્રધાનમંત્રી આજે પથનમથિટ્ટામાં ભાજપના ઉમેદવાર અનિલ એન્થોની માટે પ્રચાર કરશે.આ પછી સાંજે મલકાજગીરીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો પણ યોજાશે. એવું કહેવામાં આવ્યું હતું કે રોડ શો મિર્ઝાગુડાથી સાંજે શરૂ થશે અને મલકાજગીરી સુધી જશે અને તે એક કલાક સુધી ચાલશે.
