પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી શરૂ થતા 15માં G-20 શિખર સંમેલનમાં ભાગ લેશે
Live TV
-
બે દિવસીય જી-20 શિખર સંમેલનનો આજે આરંભ થશે. સાઉદી અરેબિયાના યોજાનારા 15મા જી-20 શિખર સંમેલનનો વિષય 21મી શતાબ્દિમાં તમામ માટે તક સર્જન છે. વીડિયો કોન્ફરન્સિંગની મદદથી યોજાનારા આ સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ભાગ લેવાના છે. આ વર્ષે જી-20 નેતાઓની આ બીજી બેઠક મળવા જઇ રહી છે.
આજથી શરૂ થનારી બેઠકમાં કોવિડ -19 મહામારી વિષય પર કેન્દ્રીત રહેશે
પ્રધાનમંત્રી મોદી અને સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ વચ્ચે ટેલીફોન પર થયેલી વાતચીત પછી આ વર્ષે માર્ચ મહિનામાં જી-20 સંગઠનના વિશેષ સંમેલનનું આયોજન થયું હતું. તે બેઠકમાં કોવિડ મહામારીને રોકવા સમન્વિત વૈશ્વિક પ્રયાસ કરવાને મુદ્દે સહમતી બની હતી. આજથી શરૂ થનારી બેઠકમાં કોવિડ -19 મહામારી વિષય પર કેન્દ્રીત રહેશે. સંગઠનના નેતા મહામારીનો સામનો કરવાના ઉપાયો, ફરીથી રોજગાર બહાલીના ઉપાયો મુદ્દે ચર્ચા કરશે. આ વર્ષે 21 ડિસેમ્બરથી ઇટાલી સંગઠનની અધ્યક્ષતા સંભાળશે.
